મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ 7 ફેબ્રુઆરી એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે.
અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ આવતીકાલે એટલે કે શુક્રવારે બપોરે 12.30 વાગ્યે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે.
આ પહેલા તેઓ સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે અને બડે હનુમાનજી મંદિરમાં પણ મુલાકાત લેશે અને પૂજા કરશે.
પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પ્રયાગરાજમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે. અને સાંજે ગાંધીનગર પાછા ફરશે.
PM મોદીએ મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું હતું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગમ શહેર પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મેળા ‘મહાકુંભ’માં ભાગ લીધો હતો .
અને પવિત્ર સંગમ નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી.
પીએમ મોદીએ શાહી સ્નાનની તારીખો પસંદ કરવાને બદલે 5 ફેબ્રુઆરી શા માટે પસંદ કરી હતી.
પોષ પૂર્ણિમા અને બસંત પંચમીનો દિવસ પસંદ કરવાને બદલે વડાપ્રધાન મોદીએ 5 ફેબ્રુઆરીએ સ્નાન કરવાનો નિર્ણય લીધો.
કારણ કે આ દિવસે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે. જે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
READ MORE :
કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
મહાકુંભ મેળાનો પ્રારંભ એ 13 જાન્યુઆરી, 2025 થી થયો છે, અને જેની સમાપ્તિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે.
ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે.
જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે.
આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે.
એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
જેમાં એક માન્યતા મુજબ સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતુ .
આ યુદ્ધ દરમિયાન જ્યાં ઘડામાંથી અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
12 વર્ષ સુધી ચાલેલા યુદ્ધને કારણે કુંભ દર 12 વર્ષે એક વાર આવે છે. મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.
READ MORE :
પવિત્ર મહાકુંભમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંસ્કૃતિક સ્નાન, CM યોગી પણ સાથે હાજર હતા
5મી ફેબ્રુઆરીએ પીએમ મોદીની મહાકુંભ મુલાકાત, સંગમમાં શ્રદ્ધાની ડૂબકી અને અન્ય કાર્યક્રમો