ભૂપેન્દ્રસિંહ ઝાલાના
BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને ગત રોજ સીઆઈડી ક્રાઈમે મહેસાણા જીલ્લાની હદમાંથી ઝડપી પાડ્યો છે.
ઘણા સમયથી નાસતો ફરતો ભૂપેન્દ્ર ઝાલા હવે પોલીસની પૂછરપછમાં અનેક ખુલાસા કરી શકે છે.
મહેસાણામાં ભૂપેન્દ્ર ઝાલાએ જ્યાં આશરો લીધો હતો
તે બાબતે અનેક ખુલાસા થઈ રહ્યા છે.
દવાડા ફાર્મ હાઉસમાં 10 દિવસ માટે ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. જે ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા
રોકાયો હતો. તે કિરણસિંહ ચૌહાણનું હતું. તેમજ 3 તબક્કામાં ભૂપેન્દ્ર ઝાલાએ ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો.
તેમજ છેલ્લા ચાર દિવસથી સીઆઈડી ક્રાઈમ દ્વારા મહેસાણામાં ધામા નાંખ્યા હતા.
સીઆઈડી ક્રાઈમ વેશ પલટો કરીને ભૂપેન્દ્ર ઝાલા અને કિરણસિંહ ચૌહાણને પકડી લીધા હતા.
કિરણસિંહનાં સંપર્કે સીઆઈડી ક્રાઈમને ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો.
સીઆઈડીની તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા બગલામુખી મંદિરે ગયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
મંદિરે દર્શન કરી આરોપી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો.
પ્રાથમિક પૂછપરછમાં 400 કરોડથી વધુનાં વ્યવહાર કર્યાની ભૂપેન્દ્ર પટેલે કબૂલાત કરી હતી.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં BZ ફાયનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઑફિસો શરુ કરીને રોકાણ પર બમણાં
વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા
મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો.
તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના
READ MORE :
અમદાવાદના ફ્લાવર શોમાં મોટો ફેરફાર: હવે 1 જાન્યુઆરીએ નહીં યોજાય , નવી તારીખ જાણો.
ભૂપેન્દ્ર ઝાલાને આશ્રય આપવા મામલે નવો ખુલાસો થવા પામ્યો છે. મહેસાણાનાં દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો.
તેમજ દવાડા કિરણસિંહનાં ફાર્મ હાઉસ પર ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ રોકાયો હોવાનો પોલીસ પૂછપરછમાં બહાર આવવા પામ્યું છે.
ત્રણ તબક્કા માં ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મમાં રોકાયો હતો.
સીઆઈડી ક્રાઈમ દ્વારા વેશપલટો કરી ચાર દિવસથી કિરણસિંહ ઝાલાને તેમજ ભૂપેન્દ્ર ઝાલાને પકડી પાડ્યો હતો.
કિરણસિંહનો વારંવાર સંપર્ક કરતા ભૂપેન્દ્ર ઝાલાના મળતીયાઓ સાથે હતા.
કિરણસિંહનાં સંપર્કે સીઆઈ ડી ક્રાઈમને ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડ્યો છે.
સમગ્ર મામલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000
કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે.
સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે.
તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું.
અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે.
જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.
સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્રસિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો
ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
READ MORE :
Ventive Hospitality IPO : શેરબજારમાં લિસ્ટ થાય તે પહેલાં GMP શું અભિપ્રાય આપે છે?
Carraro India IPO : લિસ્ટિંગ 30 ડિસેમ્બરે, જાણો GMP, લિસ્ટિંગ પહેલા સબસ્ક્રિપ્શન અપડેટ્સ