વિદેશ મંત્રીનું નિવેદન : અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતી ભારતીય જનતાને લઈને વિદેશ મંત્રીએ શું કહ્યું?

વિદેશ મંત્રીનું નિવેદન 

અમેરિકામાં એસ જયશંકરે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે ભારત ગેરકાયદેસર પ્રવાસનો સખત વિરોધ કરે છે.

કારણ કે તે પ્રતિષ્ઠા માટે સારું નથી. આનાથી ઘણી અવૈધ પ્રવૃત્તિઓ પણ થાય છે.

અમેરિકામાં સત્તા સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે.

તેઓએ ગેરકાયદેસર  ઇમિગ્રન્ટસ  સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જેમની પાસે સંપૂર્ણ વિઝા દસ્તાવેજો નથી તેઓ ખૂબ ડરી ગયા છે. ભારત પણ આ અંગે ચિંતિત છે.

અમેરિકામાં એસ જયશંકરે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે નવી દિલ્હી અમેરિકા સહિત વિદેશમાં “ગેરકાયદેસર રીતે” રહેતા ભારતીય

નાગરિકોને “કાયદેસર પરત”  લેવા માટે  તૈયાર છે.

 

વિદેશ મંત્રીનું નિવેદન 

અમે કાયદેસર વાપસી માટે તૈયાર છીએ

વિદેશ મંત્રી જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં એક પરિષદમાં જણાવ્યું છે.

અમે હંમેશા માનતા આવ્યા છીએ કે જો અમારા કોઈપણ નાગરિક અહીં કાયદેસર રીતે રહેતા નથી .

જો અમને ખાતરી છે કે તે અમારા નાગરિક છે, તો અમે તેમની કાયદેસર વાપસી માટે હંમેશા તૈયાર છીએ.

જેથી અમેરિકા કોઈ પણ અજીબ પરિસ્થિતિમાં ફસાયું નથી.

એસ જયશંકરે સ્પષ્ટતા કરી કે આ મુદ્દા પર ભારતનું વલણ “સુસંગત” અને “સિદ્ધાંતિક” રહ્યું છે.

તેમણે આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને પણ સ્પષ્ટપણે કહી.

જયશંકરે કહ્યું કે તેમને લાગે છે કે હાલમાં ચોક્કસ ચર્ચા ચાલી રહી છે અને પરિણામે સંવેદનશીલતા છે.

પરંતુ ભારત સંસંગત રહ્યું છે. અમે આ અંગે સિદ્ધાંતવાદી રહ્યા છીએ. 

આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને સ્પષ્ટ રીતે કહી દીધી છે.

ભારત એ ગેરકાયદેસર  પ્રવાસનો વિરોધી

જોકે વિદેશ મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત બંને દેશો વચ્ચે ‘કાનૂની ગતિશીલતા’ને સમર્થન આપે છે.

તે ઇચ્છે છે કે ભારતીય કૌશલ્ય અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ તકો મળે.

જોકે ભારત ગેરકાયદેસર  પ્રવાસનો સખત વિરોધ કરે છે. કારણ કે તે પ્રતિષ્ઠા માટે સારું નથી.

આનાથી ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થાય છે. તેમણે કહ્યું કે આ બંને વચ્ચેના સંબંધો માટે સારું નથી.

વિદેશ મંત્રીએ યુએસ વિદેશમંત્રી સાથેની તેમની મુલાકાતમાં યુએસ વિઝા માટે લાગતા લાંબા સમય તરફ પણ ધ્યાન દોર્યું.

અમેરિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા તૈયાર કરેલા દસ્તાવેજો મુજબ અમેરિકામાં લગભગ 18,000 ભારતીય એવા છે.

કે જેની પાસે અમેરિકામાં રહેવા માટે પૂરતા માન્ય દસ્તાવેજો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ નુ વહીવટી તંત્ર  એ આવા ભારતીયોને ભારત પરત મોકલી શકે છે જે ચિંતાનું કારણ છે.

 

READ  MORE :

ટ્રમ્પનો નવો નિર્ણય : ઝેલેન્સ્કી માટે ટ્રમ્પનો ઐતિહાસિક ઝટકો યુક્રેનને સૈન્ય સહાય પર પ્રતિબંધ અને નવા આદેશો જારી કર્યા

ભારત અને ભુતાન વચ્ચે નવા રેલવે નેટવર્કની શરૂઆત, 3500 કરોડનું રોકાણ ચીન માટે આર્થિક ઝટકો

Share This Article