India News
ભારતના રાજકરણ માટે કહેવાય છે કે કોઈપણ નેતાના કોઈપણ બોલ પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ન કરવો જોઈએ.
રાજનેતા પોતાના શબ્દો પરથી ક્યારે ફરી જાય કઈં જ કહી શકાય એમ નથી.
આખી જિંદગી એક જ પાર્ટીમાં રહીને સામાન્ય કાર્યકરથી મોટા નેતા બને અને બાદમાં
ટિકિટ ન મળતા કે ધમકી-દબાણને કારણે અન્ય પક્ષમાં જોડાઈ જતા હોય છે.
સીતારામ યેચુરીના મૃત્યુ પછી: ડાબેરી નેતાઓ માટે આગળ શું?
રાજકરણમાં અનેક કસમ રોજબરોજ લેવાતી હોય અને રોજબરોજ તૂટતી હોય છે
પરંતુ સીપીઆઈ-એમના દિવંગત નેતા સીતારામ યેચુરીના નિધન માટે એક રાજનેતાએ પોતાની કસમ તોડતા મીડિયા હેડલાઈન બની ગયા છે.
સીતારામ યેચુરીના નિધન બાદ ડાબેરી નેતા, પૂર્વ LDF કન્વીનર ઇપી જયરાજને લગભગ બે વર્ષ પહેલા ફ્લાઈટમાં ક્યારેય મુસાફરી નહીં
કરવાના શપથ લીધા હતા પરંતુ યેચુરીના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ ગુરુવારે રાત્રે કારીપુર
એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા.
જયરાજને જુલાઈ 2022માં પ્લેનમાં ઝપાઝપીની ઘટનામાં સામેલ હોવાના કારણે ત્રણ
અઠવાડિયા માટે એરલાઈન્સ દ્વારા પ્રતિબંધ મુકાતા ઈન્ડિગોની ફ્લાઈટમાં પોતે કે પરિવારે
ક્યારેય મુસાફરી ન કરવાનો નિર્ણય લીધો હતો. આ ફ્લાઈટમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ સવાર હતા.
સમગ્ર ઘટના: શું તે ખરેખર છે?
13 જૂન, 2022ના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતર્યા બાદ કન્નુરથી ઈન્ડિગોની ફ્લાઈટની અંદર યુથ કોંગ્રેસના
બે કાર્યકરોએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. પ્લેનમાં સવાર જયરાજને કથિત રીતે બંને વિરોધીઓને એક તરફ ધકેલી દીધા હતા.
આ ઘટનાક્રમને પગલે એરલાઈને સીપીઆઈ(એમ) નેતા પર ત્રણ અઠવાડિયાનો પ્રતિબંધ લાદ્યો હતો
અને યુથ કોંગ્રેસના બે કાર્યકરો પર પણ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો.
13 જૂન, 2022ના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતર્યા બાદ કન્નુરથી ઈન્ડિગોની ફ્લાઈટની અંદર યુથ કોંગ્રેસના બે
કાર્યકરોએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. પ્લેનમાં સવાર જયરાજને કથિત રીતે બંને વિરોધીઓને એક તરફ ધકેલી દીધા હતા.
આ ઘટનાક્રમને પગલે એરલાઈને સીપીઆઈ(એમ) નેતા પર ત્રણ અઠવાડિયાનો પ્રતિબંધ લાદ્યો હતો અને
યુથ કોંગ્રેસના બે કાર્યકરો પર પણ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો.
read more : India News-“કોંગ્રેસનો હાથ છોડી ભગવો ખેસ: ભારતનાં સૌથી અમીર મહિલાનો ઉચ્ચતા સામર્થ્ય”