જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બ્રાસપાર્ટ વેપારી વ્યાજખોરોના ચુંગાલમાં

By dolly gohel - author

જામનગરના દિગ્વિજય પ્લોટ 

જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે.

જેણે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં

તમામ છ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58, કૃષ્ણ કોલોનીમાં પુષ્પમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર

303 માં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ નરશીભાઈ કણજારીયા નામના વેપારી યુવાને જામનગરના છ જેટલા વ્યાજખોરો

સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગેરકાયદે વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની

ફરિયાદ નોંધાવી છે.

વેપારી યુવાને ગત માર્ચ મહિનામાં પોતાની ધંધાની જરૂરિયાત માટે સૌપ્રથમ અમિત બાબુભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી બે લાખ

રૂપિયા વ્યાજે લીધા હતા.

જેનું અત્યાર સુધીમાં પાંચ લાખ ચાલીસ હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ રકમની માંગણી કરી ધાક ધમકી અપાતી હતી.

આ ઉપરાંત પ્રકાશભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી 2,75,000 વ્યાજે લીધા પછી તેના બદલામાં છ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા.

જયારે વસંતભાઈ ભાનુશાળી પાસેથી એક લાખ રૂપિયા મેળવીને તેની સામે ત્રણ લાખ 60 હજાર જેટલું વ્યાજ ચૂકવી આપ્યું હતું.

 

read more :

Enviro Infra Engineers IPO allotment : સ્ટેટસ બહાર, GMP અને કેવી રીતે ચેક કરવું તે જાણો

જામનગરના દિગ્વિજય પ્લોટ 

પોલીસે તમામ છ આરોપીઓ સામે આઇપીસી કલમ 506-2 તેમજ મનીલેન્ડર્સ એક્ટ કલમ 5, 39, 40 અને 42 મુજબ ગુન્હો નોંધ્યો છે.

આ ઉપરાંત શૈલેષભાઈ ઉર્ફે ભીખાભાઈ નામના વ્યક્તિ પાસેથી 25,000 રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું

32 હજાર રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું, જયારે રવિ મહાજન નામના વ્યક્તિ પાસેથી 70,000 રૂપિયા વ્યાજે લીધા

બાદ તેનું 4,50,000 જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી આપ્યું હતું, જયારે સુમિત ભાઈ ચાંદ્રા પાસેથી 30,000 રૂપિયા

વ્યાજે લીધા હતા, જેની સામે પણ 1,20,000 જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ વ્યક્તિઓ અવારનવાર

મુદ્દલ રકમની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ

જવાયો હતો. જયાં  અને તમામ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 

read more :

NTPC Green Energy IPO shares list સૂચિબદ્ધતા: ₹111.50 પર ખુલ્યા, IPO કિંમતથી 3.2% વધારે

 
 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.