લલિત મોદી સામે સખત કાર્યવાહી વનુઆતુના PM એ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

By dolly gohel - author
લલિત મોદી સામે સખત કાર્યવાહી વનુઆતુના PM એ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

લલિત મોદી સામે સખત કાર્યવાહી 

આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.

મામલો એવો છે કે તાજેતરમાં તેણે ભારતનું પાસપોર્ટ સરેન્ડર કરી એક નાનકડાં દેશ વાનુઆતીની નાગરિકતા મેળવી હતી.

પણ હવે વનુઆતુના વડાપ્રધાને લલિત મોદીને મોટો ઝટકો આપ્યો છે. જેના કારણે ભાગેડું મોદીની હાલત ધોબીના કૂતરા જેવી થઇ ગઇ છે. 

લલિત મોદીને છેલ્લે 7 માર્ચના રોજ લંડનમાં આવેલા એક ભારતીય હાઈ કમિશન સમક્ષ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો.

પછીથી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી હતી કે તેનું પાસપોર્ટ જમા કરાવી દીધો છે. 

 

લલિત મોદી સામે સખત કાર્યવાહી

લલિત મોદી સામે સખત કાર્યવાહી વનુઆતુના PM એ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો
લલિત મોદી સામે સખત કાર્યવાહી વનુઆતુના PM એ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

વનુઆતુ ક્યાં આવેલું છે?

વનુઆતુ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો નાનકડો દેશ છે.

અહીંની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ, પર્યટન, માછીમારી અને વિદેશી નાણાકીય સેવાઓ પર આધારિત છે.

વનુઆતુમાં રોકાણ આધારિત નાગરિકતા મળે છે, એટલે કે અહીં નાગરિકતા રોકાણ કરીને મેળવી શકાય છે.

અહીં સરકાર માટે પાસપોર્ટનું વેચાણ આવકનો મુખ્ય સ્ત્રોત છે.

2025 સુધીમાં, વનુઆતુનો પાસપોર્ટ 113 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં 199 દેશોમાંથી 51મા ક્રમે છે.

જે સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઇન્ડોનેશિયા (64) થી ઉપર છે. ભારત એ આ યાદીમાં 80 મા ક્રમે છે.

 

READ MORE :

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : IRCTC અને IRFCને ‘નવરત્ન’ દરજ્જો આપ્યો, શું શેરના ભાવમાં વૃદ્ધિ થશે?

લલિત મોદી સામે સખત કાર્યવાહી વનુઆતુના PM એ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો
લલિત મોદી સામે સખત કાર્યવાહી વનુઆતુના PM એ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

વનુઆતુના વડાપ્રધાનનો આદેશ 

વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતે નાગરિકતા આયોગને આદેશ આપ્યો છે કે લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે રદ કરી દે.

તેમણે કહ્યું કે મને છેલ્લા 24 કલાકમાં જાણકારી મળી કે ઈન્ટરપોલે લલિત મોદીને લઈને ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી એલર્ટ

નોટિસને ન્યાયિક પુરાવાના અભાવે બે વખત ફગાવી હતી.

વનુઆતુનો પાસપોર્ટ રાખવો એક વિશેષાધિકાર છે ન કે અધિકાર. એટલા માટે અરજદારે વ્યાજબી કારણોસર જ નાગરિકતા મેળવવી જોઈએ.  

 

READ MORE :

પાકિસ્તાનનો મોટો નિર્ણય : અમેરિકા બાદ પાકિસ્તાને શરૂ કરી ‘દેશનિકાલ’ કાર્યવાહી, અફઘાની કાર્ડ ધારકોને અલ્ટીમેટમ અપાયુ

સુરતથી ગોવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ શરૂ કરશે નવી ફ્લાઈટ, જાણો મુસાફરી માટે શું રહેશે ભાડું?

શેરબજારમાં તેજીનો પ્રારંભ : જાણો સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કેટલો ઉછાળો નોંધાયો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.