મહા પૂર્ણિમાના પાવન અવસર પર લાખો શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી

By dolly gohel - author

મહા પૂર્ણિમાના 

પ્રયાગરાજના સંગમ કિનારે આજે ફરી ભક્તોની ભીડ ઉમટી રહી છે.

મહા પૂર્ણિમાના કારણે, શ્રદ્ધાળુઓ તેમના સમગ્ર પરિવાર સાથે સ્નાન કરવા માટે સંગમ કિનારે પહોંચી રહ્યા છે.

વહેલી સવારે, 74 લાખ લોકોએ સંગમ કિનારા પર ધાર્મિક સ્નાન કર્યું છે.

આજે મહા પૂર્ણિમા પર મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સંગમ કિનારાની બંને બાજુ ફક્ત ભક્તો જ દેખાય છે.

માઘ પૂર્ણિમાના દિવસે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે 74 લાખ લોકોએ વહેલી સવારે સંગમમાં ડૂબકી લગાવી છે.

આજે મહા પૂર્ણિમાના દિવસે, નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલા સ્નાન કર્યું હતુ.

આ પછી અખાડાઓએ અને પછી સંતોએ ડૂબકી લગાવી. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂ કર્યું.

આજે સંગમ કિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

મહા પૂર્ણિમાના અવસર પર અત્યાર સુધીમાં 46.25 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

મહાકુંભ મા નવી ટ્રાફિક યોજના લાગુ કરવામાં આવી છે.

મેળા વહીવટીતંત્રે માઘી પૂર્ણિમા પર એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક્યો છે.

નવા ટ્રાફિક પ્લાન મુજબ મેળા વિસ્તાર સહિત સમગ્ર શહેરને 12 ફેબ્રુઆરી સુધી નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે

કલ્પવાસીઓના વાહનોને પણ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી.

મેળા વિસ્તારમાં ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત, VIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે.

 

સીએમ યોગી એ સવાર ના 4 વાગ્યાથી મહા પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે.

પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહીવટીતંત્રે અમૃત સ્નાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.

સીએમ યોગી પોતે સવારે 4 વાગ્યાથી માઘી પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ઉપરાંત, ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે.

મહાકુંભ દરમિયાન માઘ પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.

જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.

 

READ MORE :

પવિત્ર મહાકુંભમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંસ્કૃતિક સ્નાન, CM યોગી પણ સાથે હાજર હતા

સીએમ યોગીએ ભક્તોને અભિનંદન આપ્યા

સીએમ યોગીએ પાંચમા અમૃત સ્નાન નિમિત્તે સંગમ કિનારે પહોંચેલા ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, પવિત્ર સ્નાન પર્વ મહા પૂર્ણિમાની રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભકામનાઓ!

આજે પ્રયાગરાજમાં મહાકુંભ-2025માં પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કરવા આવેલા તમામ પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ, કલ્પવાસીઓ અને

ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ! ભગવાન શ્રી હરિ ની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે.

માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, આ જ કામના છે.

 

READ MORE :

 

CM યોગીનો મહત્વપૂર્ણ નિર્ણય : મહાકુંભમાં માધ પૂર્ણિમાને ધ્યાનમાં રાખીને ભીડના નિયંત્રણ માટે પગલાં

મહાકુંભમાં ભારે ભીડ અને ટ્રાફિક જામ, 35 કિમી સુધી ગાડીઓની લાંબી લાઈનો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.