મહારાષ્ટ્રમાં અજિત પવારને મોટો ઝટકો: નેતાઓ તુરંત રાજીનામું

By dolly gohel - author
16 10 06

16 10 07

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ દરમિયાન અજિત પવારની NCPને મોટો ઝટકો લાગ્યો છે.

પક્ષના બે મોટા નેતાઓ સંજીવરાજે નાઈક નિમ્બાલકર અને દીપક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે. આ બંને નેતાઓ શરદ પવારની

NCPમાં જોડાયા છે. દીપક ચવ્હાણ ફલટન બેઠકથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

જ્યારે સંજીવરાજે નાઈક નિંબાલકર સતારા જિલ્લા પરિષદના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.

ચૂંટણી પંચે આજે (15મી ઓક્ટોબર) મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં 20મી નવેમ્બરે એક જ

તબક્કામાં મતદાન થશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે.

રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે.

એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ‘ભલે મારી ઉંમર 84 વર્ષ છે, પરંતુ હું રોકાવાનો નથી.

એટલું જ નહીં ભલે મારી ઉંમર 90 વર્ષ થઈ જાય, પરંતુ હું આ રીતે કામ કરતો રહીશ.

હું મહારાષ્ટ્રને યોગ્ય માર્ગે લાવીને જ રહેશે અને આ માટે દરેક સમયે કામ કરશે.’ નોંધનીય છે કે, તેમનો ઇશારો અજીત પવાર તરફ હતો.

 

read more :

NTPC Green Energy IPO : જાણો IPO અંગેની મુખ્ય વિગતો, તારીખ, ફાળવણી, કદ, કિંમત

Gujarat News : સરકારે ઊંચા અવાજે જૂની પેન્શન યોજનાની જાહેરાત કરી, પરંતુ સરકારના દાવાથી દૂર છે ઠરાવ અને પરિપત્રનું વિતરણ !

North Gujarat News : ઉમિયા માતાના મંદિરમાં 11,111 ધ્વજ ફરકાવવાનું શું મહત્વ છે?

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.