મમતા કુલકર્ણી : મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવાની જાહેરાત ,વિવાદના અંતે મોટો નિર્ણય

મમતા કુલકર્ણી

સંગમ નગરી પ્રયાગરાજમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનેલા બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.

મમતા કુલકર્ણીને હવે મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવી છે.

પ્રયાગરાજમાં અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસની દીક્ષા લીધી હતી

સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા.

જેનો ભારે વિરોધ થયો અને કિન્નર અખાડામાં મોટો વિવાદ શરૂ થઈ ગયો.

હવે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

બંનેને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે આ કાર્યવાહી કરી છે.

ઋષિ અજય દાસે કહ્યું કે અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.

પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા જ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સંન્યાસની જાહેરાત કરી હતી.

મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં મમતા આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મુલાકાત કરી હતી

આ પછી, મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને તેમનો રાજ્યાભિષેક કિન્નર અખાડામાં થયો હતો.

મહાકુંભમાં સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને એક નવું આધ્યાત્મિક નામ ‘શ્રી યમઈ મમતા નંદ ગિરિ’ આપવામાં આવ્યું.

આ સાથે, તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

 

મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર બનાવવા પર ઘણો વિવાદ થયો હતો.

મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર બનાવવા પર સંતો સતત વિરોધ કરી રહ્યા હતા.

બાબા રામદેવે મમતા મહામંડલેશ્વર બનાવવાના નિર્ણય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો જે ગઈકાલ સુધી સાંસારિક સુખોમાં વ્યસ્ત હતા.

તેઓ એક જ દિવસમાં સંત બની ગયા છે, કે તેમને મહામંડલેશ્વર જેવી પદવી મળી ગઈ છે.

કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે પણ કહ્યું હતું કે મહિલાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવા એ સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

 

સંન્યાસ લીધા પછી મમતાએ શું કહ્યું?

એક ઇન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, મારા ભારત છોડવાનું કારણ આધ્યાત્મ હતું.

1996 માં, મારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ થયો અને તે દરમિયાન હું ગુરુ ગગન ગિરિ મહારાજને મળી.

તેમના આવ્યા પછી, આધ્યાત્મિકતામાં મારી રુચિ વધી અને મારી તપસ્યા શરૂ થઈ.

જોકે, હું માનું છું કે બોલિવૂડે મને ખ્યાતિ આપી. મેં બોલિવૂડ છોડી દીધું અને 2000 થી 2012 સુધી તપસ્યા ચાલુ રાખી.

તેમણે કહ્યું કે, મેં ઘણા વર્ષો દુબઈમાં વિતાવ્યા, જ્યાં હું બે બેડરૂમવાળા ફ્લેટમાં રહેતી હતી.

અને આ 12 વર્ષ દરમિયાન, મેં બ્રહ્મચર્યનું પાલન પણ કર્યું હતુ.

મમતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘કભી તુમ કભી હમ’ વર્ષ 2002 માં આવી હતી.

આ પછી તેણે મનોરંજનની દુનિયા છોડી દીધી હતી.

 

READ MORE :

નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય: ડી ગુકેશને ટેક્સમાંથી મળી મુક્તિ, કરોડો રૂપિયાની બચત

૪૩ વર્ષ પછી ભારતના વડાપ્રધાનની કુવૈત મુલાકાત, નવા સંબંધોના અધ્યાયની શરૂઆત

Share This Article