PM મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસાની અંતરીક્ષયાત્રી અને ભારતની દિકરી સુનિતા વિલિયમ્સની ઘરવાપસી પર શુભેચ્છાઓ પાઠવી છે.
ક્રૂ-9 અંતરીક્ષયાત્રીઓની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે અભિવાદન કર્યું હતું.
PM મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, નાસાનું ક્રૂ-9 મિશન એ દૃઢ સંકલ્પ, હિંમત અને અનન્ય જુસ્સાનું પરિણામ છે.
સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-9ના અંતરીક્ષયાત્રીઓએ ફરી એકવાર આ જ દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડયુ છે.
તેમનું અથાગ યોગદાન અને સાહસ લાખો લોકોને હંમેશા માટે પ્રેરિત કરશે. તે એક આઇકોન બન્યા છે. પૃથ્વીએ તમને ખૂબ યાદ કર્યાં.

સ્પેસ એક્સ્પ્લોરેશન એ સપના ને સાકાર કરે છે.
તેમને આગળ કહ્યુ કે સ્પેસ એક્સપ્લોરેશન એ માનવીના જુસ્સાને વેગ આપતાં તેમને સપનું સાકાર કરવાની હિંમત આપે છે.
સુનિતા વિલિયમ્સ એક પથદર્શક અને પ્રેરણાનો સ્રોત છે.
જેમણે પોતાની કારકિર્દીમાં આ જુસ્સાને જાળવી રાખતાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયુ છે.
તેમને પરત પૃથ્વી પર સુરક્ષિત લાવવાના પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો પર ગર્વ છે.
તેઓએ કરી બતાવ્યું કે, જ્યારે જુસ્સો અને ટૅક્નોલૉજી એક સાથે કામ કરે છે, ત્યારે અદ્ભૂત પરિણામો મળે છે.
નવ મહિના બાદ પરત ફર્યા
ક્રૂ-9 મિશનમાં સામેલ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર સહિત ચાર અંતરીક્ષયાત્રીઓ નવ મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા હતા.
અગાઉ અનેક વખત તેમને અંતરીક્ષમાંથી પાછા લાવવાની કવાયત હાથ ધરાઈ હતી. પરંતુ નિષ્ફળતા મળી હતી.
અંતે આજે વહેલી સવારે સ્પેસએક્સના ડ્રેગન ફ્રિડમ કેપ્સૂલની મદદથી 3.27 વાગ્યે આ ચારેય અંતરીક્ષયાત્રી પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે.

READ MORE :
ફ્રાંસના નેતાએ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ પાછું માંગ્યું, અમેરિકા તરફથી શ્રેષ્ઠ જવાબ
જે વચન આપ્યુ હતુ તે પૂરુ કર્યુ
વ્હાઈટ હાઉસ ના સોશિયલ મીડિયા પર લખવામા આવ્યુ હતું કે, જે વચન આપ્યું હતું, તે પૂરૂ કર્યું.
રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષ યાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું.
આજે તેમનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ ચુક્યું છે. ઈલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર.
READ MORE :
ટ્રમ્પનો નવો નિર્ણય : બાઇડેનના બાળકો માટે સિક્રેટ સર્વિસ સેવા પર પ્રતિબંધ
