રેશનકાર્ડમાં e-KYC
રેશનકાર્ડમાં e-KYC થયું નહીં હોય તો રાશનનું અનાજ નહીં મળે તેવા નિયમના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે.
રાજ્યમાં ઘણી જગ્યાએ e-KYC પ્રક્રિયા માટે ટેકનિકલ પ્રશ્નો ઉભા થતાં નોટબંધી જેવી લાઇનો લાગી રહી છે.
આ સંજોગોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે.
રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો કાર્યરત કરવામાં આવી છે.
આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનિટરીંગ કરી રહ્યાં છે.
વિભાગે દાવો કર્યો છે કે રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘેરબેઠાં માય રેશન એપ્લિકેશનની મદદથી જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા
1.07 નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માઘ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં
કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યુ છે.
હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક
હસ્તક 2787 મળી કુલ 4376 જેટલી આધારકીટ કાર્યરત છે.
Read More : અંબાજી મંદિરે વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો વિવાદ, નવા નિર્ણય માટે પુનઃવિચારની આવશ્યકતા
આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી.
ઘણાં જિલ્લામાં લાઇનો લાગતાં અને સર્વર અને આધાર કાર્ડના કેટલાક ટેકનિકલ પ્રશ્નોને ઘ્યાને રાખી સરકારે નવી 1000 આધાર કીટ કાર્યરત
કરવાનું આયોજન કર્યું છે.
e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે.
વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત
કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા.
અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.
Read More :
ગુજરાતમાં મહાદેવનું અનોખું મંદિર: 850 વર્ષ જૂનો ઈતિહાસ અને બારેમાસ પાણીમાં રહેવાની વિશેષતા
Baroda News : કમાટીબાગ પ્રાણીસંગ્રહાલય માં નવા અતિથિઓનું આગમન, વાઘ અને વાઘણની જોડીએ કર્યો પ્રવેશ
ગૂગલ દ્વારા શા માટે 48 વર્ષની વયના વ્યક્તિને નોકરી પર રાખવા માટે 22, કરોડનો ખર્ચ કર્યો