ભારતે UNમાં પાકિસ્તાનને ફટકાર લગાવી
સંયુક્ત રાષ્ટ્ર (UN), ન્યૂયોર્કમાં પાકિસ્તાનને ફરી એકવાર ફજેતી થઇ હતી અને શરમજનક સ્થિતિ સર્જાણી હતી.
વિશ્વભરમાં ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ચાલી રહેલી યુએનની બેઠકમાં પાર્વથાનેનીએ પાકિસ્તાનની ટીકા કરી હતી.
પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો ભારે પડયો હતો.
આ મામલે ભારતે કહ્યું કે, પાકિસ્તાનની કટ્ટરવાદી માનસિકતા જાણીતી છે. તેની કટ્ટરતાનો રેકોર્ડ પણ દુનિયાની સામે છે.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે.
14 માર્ચના રોજ જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓ અને નિવેદનોની આકરી ટીકા કરી હતી.
તેમણે એમ પણ કહ્યું કે, વારંવાર જમ્મુ-કાશ્મીરનાં નારા લગાવવાથી ભારતનો આ અભિન્ન હિસ્સો પાકિસ્તાનનું નહીં બને.
પાર્વથાનેનીએ સ્પષ્ટપણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.
ભારતે UNમાં પાકિસ્તાનને ફટકાર લગાવી
પાકિસ્તાન એ ટ્રેન હાઈજેક નો આરોપ ભારત પર લગાવ્યો
ભારત સરકાર વતી હરીશ પાર્વથેનીનું આ નિવેદન ભારતે શુક્રવારે પાકિસ્તાનના એ આરોપોને નકારી કાઢ્યા બાદ આવ્યું છે .
જેમાં પાકિસ્તાને ટ્રેન હાઈજેકમાં ભારતની ભૂમિકા વિશે જણાવ્યું હતું.
આ આરોપોને નકારી કાઢતાં ભારતે કહ્યું હતું કે દુનિયા સારી રીતે જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્ર ક્યાં છે.
READ MORE :
સરકારનો મોટો નિર્ણય : 30 હજારથી વધુ હાઉસિંગ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી સમસ્યાનું કાયમી સમાધાન
જમ્મુ અને કશ્મીર એ ભારત નો અભિન્ન અંગ હતો, છે અને રહેશે
યુએન મા પાકિસ્તાન ના તાજેતર નિવેદન પર ભારતની પ્રતિક્રિયા વાંચતા પાર્વથાનેની હરીશે કહ્યુ કે , તેમની હંમેશાની આદત મુજબ,
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી, ન તો આ વિસ્તાર પરના તેમના દાવાને માન્ય કરવામાં આવશે .
અને ન તો સરહદ પારના આતંકવાદની પ્રથાને ન્યાયી ઠેરવવામાં આવશે.
પાકિસ્તાનના આવા પ્રયાસોથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે.
READ MORE :
ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય : પાકિસ્તાન અને અફઘાન નાગરિકોને અમેરિકામાં પ્રવેશ ન મળવાની શક્યતા
ડાકોરમાં હોળીના દિવસે ભક્તોનો ઘોડાપુર, આકરી ગરમીમાં શ્રદ્ધાળુઓની પગપાળા યાત્રા