જૂનાગઢમાં મહાશિવરાત્રિની ઉજવણીમાં જોડાવા માટે સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ ચાલુ

By dolly gohel - author
જૂનાગઢમાં મહાશિવરાત્રિની ઉજવણીમાં જોડાવા માટે સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ ચાલુ

જૂનાગઢમાં

મહાશિવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે.

ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો આવે છે.

મેળામાં આવતાં હજારો લોકો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવે એ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે. 

 

ક્યારે અને ક્યાંથી ઉપડશે આ સ્પેશિયલ ટ્રેન? 

ટ્રેન નંબર 09568: 

વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21:20 કલાકે ઉપડશે.

અને બીજા દિવસે સવારે 8:00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.

ટ્રેન નંબર 09567:  ગાંધીગ્રામ-વેરાવળ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન 10:10 વાગ્યે ઉપડશે

અને તે જ દિવસે સવારે 17:40 વાગ્યે વેરાવળ પહોંચશે.

જૂનાગઢમાં મહાશિવરાત્રિની ઉજવણીમાં જોડાવા માટે સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ ચાલુ
જૂનાગઢમાં મહાશિવરાત્રિની ઉજવણીમાં જોડાવા માટે સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ ચાલુ
 

ક્યારથી દોડશે આ ટ્રેન?

ટ્રેન નંબર 09568: શિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2025 સુધી દોડાવવામાં આવશે.

આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09567: ઉપરોક્ત સમય મુજબ 24 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.

 

READ MORE :

 

ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર

 

કયાં સ્ટેશન પર ઊભી રહેશે ટ્રેન?

ટ્રેન નંબર 09568 એ  શિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન માળિયા હાટીના કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ,

વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંક્શન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઊભી રહેશે. 

ટ્રેન નંબર 09567 આ શિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન એ સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડિયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળિયા હાટીના સ્ટેશન પર ઊભી રહેશે. 

તેમજ આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે.

તેમજ આ ટ્રેન તા. 24 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.

 

READ MORE :

ગુજરાતનુ ગૌરવ : સંગીત જગતમાં ગુજરાતની મોટી સિદ્ધિ ચંદ્રિકા ટંડનને ‘ત્રિવેણી’ આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો

મુસાફરો માટે મોટી રાહત : અમદાવાદ થી ગાંધીનગરના મુસાફરો રાહત , હવે મુસાફરોને મોટેરા-ટ્રેન બદલવાની જરૂર નહીં પડે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.