ઓસ્ટ્રેલિયામાં દુર્ઘટના: સી પ્લેનની દુર્ઘટના, પાઈલટ સહિત 3 લોકોના મોત, 3 દર્દીઓ ઈજાગ્રસ્ત

By dolly gohel - author

ઓસ્ટ્રેલિયામાં દુર્ઘટના

ઓસ્ટ્રેલિયામા પ્રવાસી ટાપુ પાસે એક સી પ્લેન ક્રેશ થયુ .આ દુર્ઘટના મા ત્રણ લોકો એ ગંભીર રીતે ધાયલ થયા છે.

અને ત્રણ લોકોના મોતની પુષ્ટી થઇ છે.

પોલીસે દ્રારા જાણવામા આવ્યુ છે કે , મંગળવારે બપોરે રોટનેસ્ટ આઇલેન્ડથી ટેકઓફ દરમિયાન આ દુર્ઘટના બની હતી.

સેસના 208 કાફલાના સાત મુસાફરોમાંથી માત્ર એક જ અકસ્માત બાદ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.

જેને કોઈ ઈજા થઈ ન હતી. સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું આ વિમાન રોટનેસ્ટ આઇલેન્ડથી 30 કિલોમીટર પૂર્વમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા

રાજ્યની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત ફરતી વખતે દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો.

ઑસ્ટ્રેલિયાના ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો અને એવિએશન એ જણાવ્યું  કે તપાસકર્તાઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં દુર્ઘટના

READ  MORE  :

દક્ષિણી કેલિફોર્નિયા મા મોટી દુર્ઘટના, વિમાન ટેક ઓફ કરતાં જ ઈમારત સાથે ટકરાયું , 2નાં મોત, અને અનેક લોકો ધાયલ થયા

બ્યુરોના ચીફ કમિશનર એંગસ મિશેલે નિવેદનમાં જણાવ્યું કે, ફ્લોટપ્લેન એ  ટેક-ઓફ દરમિયાન પાણી સાથે અથડાયું હતું.

રોટનેસ્ટ ખાતે રજા પર આવેલા પ્રવાસી ગ્રેગ ક્વિને જણાવ્યું  કે તેણે પ્લેન ક્રેશ જોયું છે.

ક્વિને ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પને કહ્યું, અમે સી પ્લેનને ટેકઓફ કરતા જોઈ રહ્યા હતા.

અને તે પાણી પર ઉતરવાનું હતું ત્યારે તે પલટી ગયું અને ક્રેશ થઈ ગયું.

ઘણા લોકો તેમની બોટ પર પાણીમાં હતા. અને મને લાગે છે કે તેઓ ખરેખર, ખરેખર ઝડપથી ત્યાં પહોંચ્યા.

આ ધટના વિશે પોલીસ એ તપાસ કરતા જણાવ્યુ કે આ દુર્ઘટના વેકેશન માણવા આવેલી ભીડની સામે બની હતી.

જેમાં ટાપુ પર બાળકો સાથે વેકેશન માણી રહેલા પરિવારો પણ સામેલ હતા.

રાજ્યના પોલીસ કમિશનર કર્નલ બ્લેન્ચે જણાવ્યું હતું કે અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે.

સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું આ વિમાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત ફરી રહ્યું હતું.

ત્રણ ઘાયલ લોકોને ગંભીર પરંતુ સ્થિર સ્થિતિમાં પર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે  આ અકસ્માતને “ભયંકર સમાચાર” ગણાવ્યો છે.

 

READ  MORE  :

ચીનના પ્રભાવને સંતુલિત કરવા ભારત શ્રીલંકા સાથે તેના સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે

“ન્યુઝીલેન્ડમાં મજૂરોની અછત દૂર કરવા માટે વિઝા નિયમોમાં સુધારો, ભારતીય પ્રવાસીઓ પર અસર પડી શકે છે”

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.