ગાંધીનગરમાં ઝીકા વાયરસની શંકા, તંત્રમાં દોડધામ પૂનાની લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા

By dolly gohel - author
30 04

ગાંધીનગરમાં ઝીકા વાયરસની શંકા

વારંવાર વરસાદી ઝાપટા અને વાદળછાયા વાતાવરણને કારણે મચ્છરજન્ય બિમારી-રોગની સિઝન આ વખતે લાંબી ચાલી છે.

દિવાળી પૂર્વે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે.

તેવી સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાંથી ઝીકાવાયરસનો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો છે.

75 વર્ષિય વૃદ્ધની તબીયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.

જે દરમ્યાન તબીબને શંકા જતા તેમના જરૂરી સેમ્પલ પરિક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ વખતે લગભગ દર મહિને વરસાદ પડયો છે. નવરાત્રીમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે.

જેની સીધી અસર લોકોના સ્વાસ્થ પર પડી છે.

વાયરલ બિમારીઓ વધી છે તો બીજીબાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી શરૂ થઇ ગઇ

હોવા છતા સામે આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.

એટલુ જ નહીં, આ વખતે ડેન્ગ્યુ જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે.

તો બીજીબાજુ ચિકનગુનીયામાં પણ શારીરિક પીડા-દુઃખાવો લાંબા સમય સુધી રહેવાની ફરિયાદ છે. 

ત્યારે મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો કેસ ગાંધીનગર શહેરમાંથી મળી આવ્યો છે.

ગાંધીનગર શહેરના સેક્ટર-૫માં રહેતા વૃદ્ધની તબીયત લથડતા તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે

મોકલવામાં આવ્યા હતા.

જે દરમિયાન તબીબોને વૃદ્ધ દર્દીનાલક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૂરી સેમ્પલ લેવડાવ્યા હતા.

અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

 

30 08

 

read more : 

રતન ટાટાના ઘરમાં કોઈને ગાડી નસીબ નહીં, તો શ્વાનને “કૂતુબુદ્દીન” ક્યાંથી આવ્યું?

ICC દ્વારા ઐતિહાસિક નિર્ણય : T20 વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ટીમો માટે સમાન પ્રાઈઝ મની

ગાંધીનગરમાં ઝીકા વાયરસની શંકા

દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં જતા પહેલા જરૂરી રસીકરણ પણ કરાવવામાં આવે છે.

તેના રિપોર્ટના આધારે તમને ઝીકા વાયરસ પોઝિટિવ છે કે નહીં તેનો ખ્યાલ આવશે.

જો કે, આ શંકાસ્પદ કેસને લઇને સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવ્યા છે.

યુગાંડા સહિતના ઘણા દેશોમાં આ ઝીકા વાયરસે અગાઉ હાહાકાર મચાવ્યો હતો .

જેના પગલેમચ્છરથી થતા આ ઝીકા વાયરસના કેસ સમગ્ર દેશમાં ખુબ જ જૂજ છે.

તે વચ્ચે ગાંધીનગરમાંથીશંકાસ્પદ કેસ મળી આવતા સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રએ આ કેસ અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. 

જાન્યુઆરી 2016માં, યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ અસરગ્રસ્ત દેશો પર મુસાફરી માર્ગદર્શન જારી કર્યું.

જેમાં ઉન્નત સાવચેતીઓનો ઉપયોગઅને સગર્ભા સ્ત્રીઓ માટે મુસાફરી મુલતવી રાખવાની વિચારણા સહિત માર્ગદર્શિકાઓ સામેલ છે.

અન્ય સરકારો અથવા આરોગ્ય એજન્સીઓએ પણ સમાન મુસાફરીની ચેતવણીઓ જારી કરી હતી.

જ્યારે કોલંબિયા, ડોમિનિકન રિપબ્લિક, પ્યુઅર્ટો રિકો, એક્વાડોર, અલ સાલ્વાડોર અને  જમૈકાએ મહિલાઓને જોખમો વિશે વધુ જાણ ન થાય

ત્યાં સુધી ગર્ભવતી થવાનું મુલતવી રાખવાની સલાહ આપી હતી. 

 

 

 

30 09

 

ઝિકા વાયરસ

વાયરસ પરિવાર ફ્લેવિવિરિડેનો સભ્ય છે.તે દિવસના સક્રિય એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે

જેમ કે એ. એજીપ્ટી અને એ. આલ્બોપિક્ટસ. તેનું નામ યુગાન્ડાના ઝીકા ફોરેસ્ટ પરથી આવ્યું છે.

જ્યાં 1947માં વાયરસને પ્રથમ વખત અલગ કરવામાં આવ્યો હતો.

ઝીકા વાયરસ ડેન્ગ્યુ, પીળો તાવજાપાનીઝ એન્સેફાલીટીસ અને વેસ્ટ નાઈલ વાયરસ સાથે એક જીનસ વહેંચે છે.

1950ના દાયકાથી,તે આફ્રિકાથી એશિયા સુધીના સાંકડા વિષુવવૃત્તીય પટ્ટામાં જોવા મળે છે.

2007 થી 2016 સુધી, વાયરસ પૂર્વ તરફ, પેસિફિક મહાસાગરમાં સમગ્ર અમેરિકા સુધી ફેલાયો.

જે 2015-2016 ઝીકા વાયરસ રોગચાળા તરફ દોરી ગયો.

ઝીકા તાવ અથવા ઝીકા વાયરસ રોગ તરીકે ઓળખાતો ચેપ, ડેન્ગ્યુ તાવના ખૂબ જ હળવા

સ્વરૂપની જેમ, ઘણીવાર કોઈ અથવા માત્ર હળવા લક્ષણોનું કારણ નથી.જ્યારે ત્યાં કોઈ

ચોક્કસ સારવાર નથી, ત્યારે પેરાસીટામોલ (એસિટામિનોફેન) અને આરામ લક્ષણોમાં મદદ કરી શકે

છે.એપ્રિલ 2019 સુધીમાં, ક્લિનિકલ ઉપયોગ માટે કોઈ રસી મંજૂર કરવામાં આવી નથી,

જોકે સંખ્યાબંધ રસીઓ હાલમાં ક્લિનિકલ ટ્રાયલમાં છે.ઝિકા ગર્ભવતી સ્ત્રીમાંથી તેના

બાળકમાં ફેલાઈ શકે છે. આ માઇક્રોસેફાલી, મગજની ગંભીર વિકૃતિઓ અને અન્ય જન્મજાત

ખામીઓમાં પરિણમી શકે છે. પુખ્ત વયના લોકોમાં ઝિકાના ચેપનું પરિણામ ભાગ્યે જ ગુઇલેન-બેરે સિન્ડ્રોમમાં પરિણમી શકે છે.

 

read more : 

Bigg Boss 18 : સલમાન ખાને બિગ બોસ 18 હોસ્ટ કરતી વખતે તેણે અંગત તણાવ વ્યક્ત કર્યો હતો 

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતીમાં સ્થાયી સભ્યપદ મળવું જોઈએ: રશિયાનું સમર્થન

સોના-ચાંદીના ભાવનાં અગનથી ઘરેણાંની ઝાકઝમાળ ઝાંખી

 
 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.