મહાકુંભ માટે બસ સેવા શરૂ
ગુજરાતવાસીઓ સરળતાથી મહાકુંભના દર્શન કરી શકે તેને લઇ ગુજરાત સરકાર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી હતી.
આ બસ સુવિધાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઇ ગયા હતા.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય કર્યો હતો.
ગુજરાતથી દરરોજ એક AC વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે.
માત્ર રૂ. 8,100 માં પ્રતિ વ્યક્તિ ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ છે.
અમદાવાદથી પ્રયાગરાજ બસનું બુકિંગ શરૂ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા હતા.
જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકિટનું બુકિંગ નોંધાયું છે.
મહાકુંભ માટે બસ સેવા શરૂ
27 જાન્યુઆરી એ 7 વાગ્યે ગીતા મંદિર એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એક એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટો બુકિંગ થઇ રહી છે.
જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકીટોની બુંકિગ થઈ ચૂકી છે. શહેરીજનો એ બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભમાં જઇ શકશે.
પહેલી બસ ગાંધીનગર સર્કિટ હાઉસથી ઉપડશે અને બાદમાં દરરોજ એક બસ સવારે 7 વાગ્યે રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે.
વિગતો મુજબ એક બસમાં 47 મુસાફર બેસી શકે તેટલી કેપેસિટી છે.
પેકેજમાં મુસાફરી અને રોકાણનો ચાર્જ રહેશે અને અન્ય ચાર્જ મુસાફરોએ ખર્ચ કરવો પડશે.
પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ 25 જાન્યુઆરી 2025 થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે.
આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.
READ MORE :
CBSE બોર્ડ : ધો. 10-12ની પરીક્ષા આજથી શરૂ , જાણો ગેરરીતિ રોકવા શું પગલાં ભરાયા?
CM યોગીનો મહત્વપૂર્ણ નિર્ણય : મહાકુંભમાં માધ પૂર્ણિમાને ધ્યાનમાં રાખીને ભીડના નિયંત્રણ માટે પગલાં
પવિત્ર મહાકુંભમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંસ્કૃતિક સ્નાન, CM યોગી પણ સાથે હાજર હતા