કયા દેશની જેલમા સૌથી વધુ ભારતીયો કેદ છે, વિદેશ મંત્રાલય એ 86 દેશોના આંકડા જાહેર કર્યા

By dolly gohel - author
કયા દેશની જેલમા સૌથી વધુ ભારતીયો કેદ છે, વિદેશ મંત્રાલય એ 86 દેશોના આંકડા જાહેર કર્યા

કયા દેશની જેલમા

દુનિયામાં સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં કેદ છે.

આ યાદીમાં ચીન સહિત અન્ય ઘણાં દેશોના નામ પણ સામેલ છે.

વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

જેમાં ભારતની બહાર જેલમાં કેદ ભારતીયોની સંખ્યાની વિગતો આપવામાં આવી છે.

તાજેતરનો કિસ્સો ટેક મહિન્દ્રાના અધિકારી અમિત ગુપ્તાનો છે. તેને કતારમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, 86 દેશોની જેલોમાં 10,152 ભારતીયો બંધ છે.

આવા ભારતીયોની સૌથી વધુ સંખ્યા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં છે.

આ બંને વિસ્તારોમાં ભારતીય કેદીઓની સંખ્યા 2 હજારથી વધુ છે.

આ ઉપરાંત બેહરીન, કુવૈત અને કતારમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો કેદ છે.

કયા દેશની જેલમા

કયા દેશની જેલમા સૌથી વધુ ભારતીયો કેદ છે, વિદેશ મંત્રાલય એ 86 દેશોના આંકડા જાહેર કર્યા
કયા દેશની જેલમા સૌથી વધુ ભારતીયો કેદ છે, વિદેશ મંત્રાલય એ 86 દેશોના આંકડા જાહેર કર્યા

આ સિવાય 1319  ભારતીયો નેપાળમાં જેલની સજા ભોગવી રહ્યા છે.

જ્યારે, મલેશિયામાં તેમની સંખ્યા 338 અને ચીનમાં 173 છે.

ચીન, કુવૈત, નેપાળ, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત એ 12 દેશોમાં સામેલ છે જ્યાં 100 થી વધુ ભારતીયો કેદ છે.

આમાંથી, 9 દેશો એવા છે જે સજા પામેલા વ્યક્તિઓના સ્થાનાંતરણ કરારમાં સામેલ છે.

આ હેઠળ દોષિત વ્યક્તિને તેની સજા ભોગવવા માટે તેના દેશમાં મોકલવાની મંજૂરી છે.

 

READ MORE :

નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો, જાણો નવા દર

 

કેટલા ભારતીય કેદીઓ પાછા આવ્યા છે?

આ કરાર પછી પણ છેલ્લા ત્રણ વર્ષમાં 8 ભારતીય કેદીઓને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે અને ભારતીય જેલોમાં રાખવામાં આવ્યા છે.

આમાંથી 3 ઈરાનના, 3 બ્રિટનના, 2 કંબોડિયાના અને 2 રશિયાના છે.

ભારતીય મિશન નિયમિતપણે વિદેશી જેલમાંથી ભારતીય નાગરિકોને મુક્ત કરવા અથવા પ્રત્યાર્પણ કરવા માટે કામ કરી રહ્યા છે.

 
સંબંધિત ભારતીય દૂતાવાસ તરફથી સહાય મેળવતા ભારતીય કેદીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી.
 
READ MORE :
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.