1 ડિસેમ્બરથી નિયમોમાં ફેરફાર: ક્રેડિટ કાર્ડ અને LPG સિલિન્ડરના નવા નિયમો વિશે જાણો

By dolly gohel - author

1 ડિસેમ્બરથી નિયમોમાં ફેરફાર

આવતીકાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે.

વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે.

1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.

EPFO કર્મચારીઓ માટે UAN એક્ટિવેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે.

EPFOની સુવિધાઓ મેળવવા માટે આ કામ કરવું જરૂરી છે.

 જાણો 1 ડિસેમ્બરથી અન્ય કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.

ગેસ સિલિન્ડરની કિંમત : ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી

સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં 1લી ડિસેમ્બરે કેટલાક ફેરફારો જોવા

મળી શકે છે. 1 નવેમ્બરના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં

વધારો કરવામાં આવ્યો હતો. જો કે છેલ્લા ઘણા મહિનાઓથી ઘરોમાં ઉપયોગમાં લેવાતા

14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પ્લેનમાં

વપરાતા ATFની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે. આ વિમાન ભાડાને અસર કરી શકે છે.

 

 

 

 

read more : 

IT દરોડા: અમદાવાદ, મહેસાણા, મોરબીમાં બિલ્ડરોના સ્થળોએ તપાસ, મોટા ઉદ્યોગપતિઓના નામ ખુલવાની સંભાવના

1 ડિસેમ્બરથી નિયમોમાં ફેરફાર

દેશની સૌથી મોટી બેંક SBIના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો પણ 1 ડિસેમ્બરથી બદલાવા જઈ રહ્યા છે.

 જો તમે તમારા ઘરના ખર્ચ સિવાય ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે

SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 ડિસેમ્બરથી, તમને તેના પર રિવોર્ડ પોઈન્ટ મળવાનું બંધ

થઈ જશે. આ માહિતી SBI કાર્ડની વેબસાઈટમાં આપવામાં આવી છે.OTP માટે રાહ જોવી પડશે :

TRAI દ્વારા કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે લેવામાં

આવેલ નિર્ણય, અગાઉ ટેલિકોમ કંપનીઓએ તેને 31મી ઓક્ટોબર સુધીમાં લાગુ કરવાની હતી,

પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તેની સમયમર્યાદા વધારીને 30મી નવેમ્બર કરવામાં આવી હતી.

ટેલિકોમ કંપનીઓ ટ્રાઈના આ નિયમને 1 ડિસેમ્બરથી લાગુ કરી શકે છે. આ નિયમ બદલવાનો હેતુ

એ છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ મેસેજો શોધી શકાય છે, જેથી ફિશિંગ

અને સ્પમના મામલાઓને રોકી શકાય. નવા નિયમોને કારણે ગ્રાહકોને OTP ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.

 

read more : ગુજરાતના રાજ્યપાલની ખેડૂતોને સલાહ: “પ્રાકૃતિક ખેતી અપનાવો, નહીંતર જમીન બગડશે”

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.