India News : કેનેડાના પોલીસ અધિકારીને ભારતની મોટી કાર્યવાહી: શુ છે આતંકી જાહેર?

By dolly gohel - author
21 06

India News

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે.

એક અહેવાલ અનુસાર, ભારતે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના એક અધિકારીને ભાગેડુ આતંકીની યાદીમાં સામેલ કર્યા છે.

આ યાદીમાં જે અધિકારીનું નામ સામેલ કરવામાં આવ્યું છે તેની ઓળખ સંદીપ સિંહ સિદ્ધુ તરીકે થઈ છે.

 આ ભાગેડુ આતંકીને ભારત મોકલવાની માંગ કરાઈ છે.

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે.

આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ દેશનિકાલ કર્યા.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આક્ષેપ કર્યો હતા કે, કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો

સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી.

જોકે, ભારતે આ આરોપો સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. 

 CBSA કર્મચારી અને પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)ના સભ્ય સંદીપ સિંહ સિદ્ધુ પર પંજાબમાં આતંકવાદી

ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. 

 

 

 

 

 

કેનેડિયન પોલીસ ઓફિસર સામે આઘાતજનક આરોપો

સંદીપ સિંહ સિદ્ધુના પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન આતંકવાદી લખબીર સિંહ રોડે અને અન્ય ISI ઓપરેટિવ સાથે કથિત સંબંધો છે. 

સંદીપ સિંહે 2020માં બલવિંદર સિંહ સંધુની હત્યામાં ભૂમિકા ભજવી હતી. શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા બલવિંદર સિંહ સંધુ પંજાબના

બળવા દરમિયાન ખાલિસ્તાની આતંકીઓ સામેની લડાઈ અને યુએસ અને કેનેડામાં શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નેતૃત્વ હેઠળ ખાલિસ્તાની લોકમતનો વિરોધ કર્યો હતો. 

read more : 

India News :“રાજકીય ચતુરાઈ કે ચૂંટણીની અસત્યતા? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ!”

ઈઝરાયેલની ચેતવણી : ઈરાનની ધમકીઓ માટે “સમય થઈ ગયો છે”.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સતત

ખટાશ આવી રહી છે.

ભારતે કેનેડાથી તેમના રાજદ્વારીઓને બોલાવ્યા છે અને કેનેડિયન રાજદ્વારીઓને પરત જવા કહ્યું છે. બીજી તરફ કેનેડિયન

પોલીસ દ્વારા ભારતને લઈને વધુ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

સોમવારે, કેનેડિયન પોલીસે કેનેડામાં ખાલિસ્તાનીઓ પર હુમલાને લઈને ફરી એકવાર

ભારતનું નામ લીધું અને કહ્યું હતું કે ભારત સરકારના એજન્ટ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કામ કરે છે.

એક નિવેદનમાં કેનેડાના ફેડરલ પોલીસિંગના રાષ્ટ્રીય સુરક્ષાના આસિસ્ટન્ટ કમિશનર બ્રિજિટ ગૌવિને કહ્યું હતું,

ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે.

ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાનતરફી તત્ત્વોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.

RCMPના પરિપ્રેક્ષ્યમાં તેઓ સંગઠિત અપરાધી તત્ત્વોનો ઉપયોગ કરે છે,

જેમાં ખાસ કરીને એક સંગઠિત ગુનાહિત ગ્રુપ બિશ્નોઈ સમૂહ દ્વારા સાર્વજનિક રીતે જવાબદાર ઠરાવવામાં આવ્યો.

અમારું માનવું છે કે આ સમૂહ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.

 

આરોપો કેનેડિયન પોલીસ ફોર્સને હચમચાવે છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારના એજન્ટો પર સિક્રેટ માહિતી એકઠી કરવાનો, ટાર્ગેટ કિલિંગ કરવાનો,

કેનેડિયન નાગરિકોને ધમકાવવાનો અને હિંસામાં સામેલ કરવાનો આરોપ મૂક્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ

પોલીસ (RCMP)ના પુરાવાઓને ટાંકીને, ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડામાંથી હાંકી કાઢવામાં આવેલા છ

ભારતીય સરકારી એજન્ટ જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે કેનેડાએ આ બાબતો પર ભારત સરકાર સાથે કામ કરવાના ઘણા પ્રયાસો કર્યા.

પરંતુ ભારતે દરેક વખતે મદદ કરવાનો ઇનકાર કર્યો.

વાસ્તવમાં ટ્રુડો સરકાર દ્વારા મોકલવામાં આવેલા લેટર બાદ આ સમગ્ર મામલો ગરમાયો હતો.

લેટરમાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય કેટલાક રાજદ્વારીઓને કેનેડિયન નાગરિકની હત્યામાં શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યાં હતાં.

આપછી કેનેડાએ ભારતના 6 રાજદ્વારીને દેશ છોડવા કહ્યું. તેના જવાબમાં ભારતે કેનેડાના કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર

સહિત 6 કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા કહ્યું છે. જોકે કેનેડિયન નાગરિક વિશે માહિતી આપવામાં આવી નથી,

પરંતુ તેને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહી છે.

 

read more : 

India News :કેનેડાના હાઈ કમિશનરનું હકાલપટ્ટી: શું ખરેખર ઘટી રહ્યો છે?

India News:મહારાષ્ટ્રમાં ભાજપ માટે તાજેતરના રાજીનામાનો શું અર્થ છે?

South Indian Bank Share : Q2 નફો 18% વધીને રૂ. 325 કરોડ થયો , શેર 6.18% વધ્યો છે , નિફ્ટી -0.18% ડાઉન છે !

 

 

 

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.