India News
હરિયાણાના પંચકુલામાં શનિવારે (19મી ઓક્ટોબર) વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતમાં 15 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અહેવાલો અનુસાર, સ્કૂલ બસનો ડ્રાઈવર તેજ ગતિએ બસ ચલાવી રહ્યો હતો.
આ દરમિયાન મોરની નજીક ટીકર તાલ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખાઈમાં ખાબકી હતી.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ બાળકોને
બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પંજાબના માલેરકોટલામાં આવેલી નનકાના સાહિબ સ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો ફરવા માટે પંચકુલાના
મોરની હિલ્સ જઈ રહ્યા હતા. બસ અચાનક પલટી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
read more :
હવામાન Update : ઉત્તર ગુજરાત માં 50 કિમી ની ઝડપે પવન ફુંકાવવાની અને વરસાદની આગાહી
India News:મહારાષ્ટ્રમાં ભાજપ માટે તાજેતરના રાજીનામાનો શું અર્થ છે?